પ્રવેશ માપદંડ અને શાળાના નિયમો
આરટીઇ અનુસાર તમારા બાળકને પ્રવેશ આપવામાં આવશે.
- ઘોરણ : ૧ માં પ્રવેશ માટે તા.૩૧ મી મે ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ. RTE મુજબ ઘોરણ-૧ માં પ્રવેશ મળશે.
- ધોરણ -૧ માં ચાલું વર્ષની ૩૧ મી મે સુધીમાં પાંચ વર્ષ પૂરા થયે જ જન્મ તારીખમાં નોધાયેલ દાખલાના આધારે પ્રવેશ આપવામાં આવશે. વિદ્યાર્થીના જન્મના પ્રમાણપત્ર અને આધારકાર્ડ બતાવવા ફરજીયાત છે.
- ધોરણ ૨ થી ૮માં પ્રવેશ માટે શાળા પ્રવેશ ફોર્મમાં સંપૂર્ણ સાચી વિગતો ભરી ફોર્મ પાછળની વિગત(નોંધ) વાંચી વાલીની સહી સાથે સબમિટ કરવાનું રહેશે, તેમજ જે શાળા છોડી આવ્યા હશે તે શાળાનું ઓરીજીનલ એલ.સી. (યુનિક આઇ.ડી. સાથે) તથા પ્રગતિ પત્રક અને આધારકાર્ડની કોપી જમા કરવાની રહેશે.
- પ્રવેશ સાથે શાળા છોડ્યાનો દાખલો અને ગુણપત્રકની ઝેરોક્ષ ફરજીયાત આપવાની રહેશે.તથા આધારકાર્ડની ઝેરોક્ષ ,શાળા છોડ્યાના દાખલામાં યુનિક આઈ.ડી નંબર ફરજીયાત લખેલો હોવો જોઈએ.
- શાળા છોડયાના પ્રમાણપત્રમાં, યુનિક નંબરનો ઉલ્લેખ છે કે કેમ તે ખાતરી કરી લેવી.
- જૂન/સપ્ટેમ્બર/ડીસેમ્બર/માર્ચ માસમાં તે માસની તથા તેના પછીના બે માસની ફી એટલે કે ત્રણ માસની ફી એકસાથે ભરવાની રહેશે.
ગણવેશ :
છોકરાઓ :> સફેદ શર્ટ, કાળુ પેન્ટ, કાળી ટાઈ, કાળા રંગના સ્કૂલ–બૂટ
છોકરીઓ :> ચેક્ષ સ્કાય બ્લ્યુ પીના ફ્રોક, બ્લેક લોઅર, કાળા રંગના સ્કૂલ–બૂટ
- શાળા પરિસરમાં શાળાના સમય દરમ્યાન સુવ્યવસ્થા અને શાંતિ જાળવવાની રહેશે.
- દરરોજ (સોમ થી શનિ) શાળામાં સ્વચ્છ અને સુઘડ ગણવેશમાં જ આવવાનું રહેશે.
- દરેક વિદ્યાર્થીએ દર અઠવાડિયે હાથ પગના નખ કાપવા, દરરોજ હાથરૂમાલ લઈને તથા માથામાં તેલ નાખી ઓળીને આવવું.
- આપનું બાળક શાળામાંથી આપેલા વર્ગકાર્ય કે ગૃહકાર્ય કરે છે કે નહી તેની નોટબુકની ચકાસણી વાલીએ કરવી.
- શાળા તરફથી પરીક્ષા પછી પરિણામ/પ્રગતિ પત્રક અપાતું હોય છે. માતા-પિતાએ તે જોઈ તેમાં સહી કરવી. બાળકના અભ્યાસને અવરોધક પરિબળો/કારણોને જાણી તેના શાળા અભ્યાસ માટે મદદરૂપ થવું તથા બાળકની મુશ્કેલીઓ દૂર કરવા પ્રયત્ન કરવો.
- બાળકના અભ્યાસમાં વધુ ને વધુ સારી પ્રગતિ થાય તે માટે બાળક દરરોજ ગૃહકાર્ય તથા વાંચન કરે તે વાલીશ્રીએ જોવું.
- વિદ્યાર્થીઓને શાળામાં સમયસર મુકવા તેમજ લઈ જવાની જવાબદારી વાલીની રહેશે. ચાલુ શાળાએ કોઈ કારણસર ઘરે જવાનું થાય તો વાલીશ્રીએ વર્ગશિક્ષકને જાણ કરી મેઇન ગેટ પાસે નોંધ કરાવવાની રહેશે. ત્રણ તાસ બાદ રજા મળવાપાત્ર રહેશે.
- વાલીના સરનામાં કે ફોન નંબરમાં કોઈપણ ફેરફાર થાય તો વર્ગ શિક્ષક તેમજ કાર્યાલયમાં લેખિતમાં જાણ કરવી.
- શાળાના મકાન અને સાધનોને નુકશાન કરનાર પાસેથી તેની કિંમત વસૂલ લેવામાં આવશે.
- શાળામાંથી મારો પાલ્ય ભાગી જશે કે અકસ્માત થશે કે આપઘાતી પગલું ભરશે તો તેની જવાબદારી શાળાની રહેશે નહી, તો માતાપિતાએ તેની નોંધ લેવી.
- વિદ્યાર્થીના અભ્યાસ અંગેની પૂછપરછ માટે વિદ્યાર્થી સાથે હોવો જરૂરી છે.
- વાલીશ્રી પોતાના બાળકની જે માસમાં L.C. કાઢવાની અરજી આપશે તે માસ સુધીની ફી ભરવાની રહેશે.
શ્રી શૈલેષભાઈ જી. પટેલ
આચાર્યશ્રી
શ્રી એસ.એમ.કે પ્રાથમિક શાળા, કડી
પ્રવેશ પૂછપરછ માટે
કૃપા કરીને સોમવારથી શુક્રવારે સવારે ૭ થી સાંજના ૫ સુધી અને શનિવારે સવારે ૭:૩૦ થી ૧૧ દરમિયાન શાળા સંચાલન કચેરીનો સંપર્ક કરો.
પ્રવેશ માપદંડ અને શાળાના નિયમો
આરટીઇ અનુસાર તમારા બાળકને પ્રવેશ આપવામાં આવશે.
-
ઘોરણ : ૧ માં પ્રવેશ માટે તા.૩૧ મી મે ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ. RTE મુજબ ઘોરણ-૧ માં પ્રવેશ મળશે.
-
ધોરણ -૧ માં ચાલું વર્ષની ૩૧ મી મે સુધીમાં પાંચ વર્ષ પૂરા થયે જ જન્મ તારીખમાં નોધાયેલ દાખલાના આધારે પ્રવેશ આપવામાં આવશે. વિદ્યાર્થીના જન્મના પ્રમાણપત્ર અને આધારકાર્ડ બતાવવા ફરજીયાત છે.
-
ધોરણ ૨ થી ૮માં પ્રવેશ માટે શાળા પ્રવેશ ફોર્મમાં સંપૂર્ણ સાચી વિગતો ભરી ફોર્મ પાછળની વિગત(નોંધ) વાંચી વાલીની સહી સાથે સબમિટ કરવાનું રહેશે, તેમજ જે શાળા છોડી આવ્યા હશે તે શાળાનું ઓરીજીનલ એલ.સી. (યુનિક આઇ.ડી. સાથે) તથા પ્રગતિ પત્રક અને આધારકાર્ડની કોપી જમા કરવાની રહેશે.
-
પ્રવેશ સાથે શાળા છોડ્યાનો દાખલો અને ગુણપત્રકની ઝેરોક્ષ ફરજીયાત આપવાની રહેશે.તથા આધારકાર્ડની ઝેરોક્ષ ,શાળા છોડ્યાના દાખલામાં યુનિક આઈ.ડી નંબર ફરજીયાત લખેલો હોવો જોઈએ.
-
શાળા છોડયાના પ્રમાણપત્રમાં, યુનિક નંબરનો ઉલ્લેખ છે કે કેમ તે ખાતરી કરી લેવી.
-
જૂન/સપ્ટેમ્બર/ડીસેમ્બર/માર્ચ માસમાં તે માસની તથા તેના પછીના બે માસની ફી એટલે કે ત્રણ માસની ફી એકસાથે ભરવાની રહેશે.
-
ગણવેશ :
છોકરાઓ :> સફેદ શર્ટ, કાળુ પેન્ટ, કાળી ટાઈ, કાળા રંગના સ્કૂલ–બૂટ
છોકરીઓ :> ચેક્ષ સ્કાય બ્લ્યુ પીના ફ્રોક, બ્લેક લોઅર, કાળા રંગના સ્કૂલ–બૂટ
-
શાળા પરિસરમાં શાળાના સમય દરમ્યાન સુવ્યવસ્થા અને શાંતિ જાળવવાની રહેશે.
-
દરરોજ (સોમ થી શનિ) શાળામાં સ્વચ્છ અને સુઘડ ગણવેશમાં જ આવવાનું રહેશે.
-
દરેક વિદ્યાર્થીએ દર અઠવાડિયે હાથ પગના નખ કાપવા, દરરોજ હાથરૂમાલ લઈને તથા માથામાં તેલ નાખી ઓળીને આવવું.
-
આપનું બાળક શાળામાંથી આપેલા વર્ગકાર્ય કે ગૃહકાર્ય કરે છે કે નહી તેની નોટબુકની ચકાસણી વાલીએ કરવી.
-
શાળા તરફથી પરીક્ષા પછી પરિણામ/પ્રગતિ પત્રક અપાતું હોય છે. માતા-પિતાએ તે જોઈ તેમાં સહી કરવી. બાળકના અભ્યાસને અવરોધક પરિબળો/કારણોને જાણી તેના શાળા અભ્યાસ માટે મદદરૂપ થવું તથા બાળકની મુશ્કેલીઓ દૂર કરવા પ્રયત્ન કરવો.
-
બાળકના અભ્યાસમાં વધુ ને વધુ સારી પ્રગતિ થાય તે માટે બાળક દરરોજ ગૃહકાર્ય તથા વાંચન કરે તે વાલીશ્રીએ જોવું.
-
વિદ્યાર્થીઓને શાળામાં સમયસર મુકવા તેમજ લઈ જવાની જવાબદારી વાલીની રહેશે. ચાલુ શાળાએ કોઈ કારણસર ઘરે જવાનું થાય તો વાલીશ્રીએ વર્ગશિક્ષકને જાણ કરી મેઇન ગેટ પાસે નોંધ કરાવવાની રહેશે. ત્રણ તાસ બાદ રજા મળવાપાત્ર રહેશે.
-
વાલીના સરનામાં કે ફોન નંબરમાં કોઈપણ ફેરફાર થાય તો વર્ગ શિક્ષક તેમજ કાર્યાલયમાં લેખિતમાં જાણ કરવી.
-
શાળાના મકાન અને સાધનોને નુકશાન કરનાર પાસેથી તેની કિંમત વસૂલ લેવામાં આવશે.
-
શાળામાંથી મારો પાલ્ય ભાગી જશે કે અકસ્માત થશે કે આપઘાતી પગલું ભરશે તો તેની જવાબદારી શાળાની રહેશે નહી, તો માતાપિતાએ તેની નોંધ લેવી.
-
વિદ્યાર્થીના અભ્યાસ અંગેની પૂછપરછ માટે વિદ્યાર્થી સાથે હોવો જરૂરી છે.
-
વાલીશ્રી પોતાના બાળકની જે માસમાં L.C. કાઢવાની અરજી આપશે તે માસ સુધીની ફી ભરવાની રહેશે.
શ્રી શૈલેષભાઈ પટેલ
આચાર્યશ્રી
શ્રી એસ.એમ.કે પ્રાથમિક શાળા, કડી
પ્રવેશ પૂછપરછ માટે
કૃપા કરીને સોમવારથી શુક્રવારે સવારે ૭ થી સાંજના ૫ સુધી અને શનિવારે સવારે ૭:૩૦ થી ૧૧ દરમિયાન શાળા સંચાલન કચેરીનો સંપર્ક કરો.